બે કેન્દ્રીય મંત્રીઓ કેબીનેટમાંથી રાજીનામા વડાપ્રધાનને મોકલી આપશેઃ બે કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના 10 સભ્યોના સંસદમાંથી રાજીનામા
- 06 Dec, 2023
હાલમાં જ યોજાયેલી પાંચ રાજયોની ધારાસભા ચુંટણીમાં ચુંટાયેલા બે કેન્દ્રીય મંત્રીઓ સહિત 10 સાંસદોએ સંસદમાંથી રાજીનામા આપી દીધા છે. જયારે હજું એક કેન્દ્રીય મંત્રી સહિત બે સાંસદોના રાજીનામા આવી શકે છે. આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડાની આગેવાનીમાં 10 સાંસદો લોકસભા અને રાજયસભાના અધ્યક્ષને મળ્યા હતા તથા જે ગૃહના તેઓ સભ્ય હતા તે ગૃહના અધ્યક્ષને રાજીનામા સુપ્રત કરતા હવે તેઓ વિધાનસભામાં બેસશે.
આજે રાજીનામા આપનાર સાંસદોમાં કેન્દ્રીય કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ પટેલનો સમાવેશ થાય છે. તેઓએ મંત્રીપદેથી પણ રાજીનામા આપી દીધા છે. આ બન્ને સિનીયર મંત્રીઓ રાજયમાં મુખ્યમંત્રીપદના દાવેદાર છે. આ ઉપરાંત છતીસગઢમાં ધારાસભામાં ચુંટાયેલા કેન્દ્રીય મંત્રી રેણુકા સિંઘ તથા રાજસ્થાનમાંથી ચુંટાયેલા અને આ રાજયના ‘યોગી’ તરીકે જાણીતા બાબા બાલકનાથે આજે રાજીનામા આપ્યા નથી પણ તેઓ પણ સંસદ સભ્યપદ છોડશે તે નિશ્ચીત છે. આજે રાજીનામા આપનાર સાંસદોમાં રાકેશસિંહ ઉદયપ્રતાપ અને રીતિ પાઠક, રાજયવર્ધનસિંહ રાઠોર, દિયાકુમારી ઉપરાંત અરૂણ સાવ, ગોમતી સાઈ તથા કિરોડીલાલ મીણાનો સમાવેશ થાય છે.
સાંસદો કેન્દ્રીય મંત્રી છે. તેઓ પોતાના મંત્રીપદના રાજીનામા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપશે અને વડાપ્રધાન તે સ્વીકારવા માટે રાષ્ટ્રપતિને મોકલશે. આ સાથે ભાજપે ત્રણ રાજયોના મુખ્યમંત્રીની પસંદગીમાં પ્રથમ કામ લીધું છે અને હવે જે પુર્વ સાંસદો વિધાનસભામાં બેસશે તેઓ મુખ્યમંત્રીપદની ખુરશી કોને મળે છે તેના પર સૌની નજર છે. કુલ 10 સાંસદોના રાજીનામામાં કેન્દ્રીયમંત્રીઓનો પણ સમાવેશ થતા બીજા તબકકામાં મોદી કેબીનેટની પુન:રચના પણ શકય બનશે.